THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર: હનુમાનજીના મંદિર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર વિશેષ અહેવાલ | લાઈવ દર્શન
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર: હનુમાનજીના મંદિર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર વિશેષ અહેવાલ | લાઈવ દ...
શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર: હનુમાનજીના મંદિર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર વિશેષ અહેવાલ | લાઈવ દર્શન
Sri Kastabhanjan Dev Salangpur: Temple of Hanuman Sri Kastabhanjan Dev Salangpur Special Report | Live Darshan
શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર

મિત્રો આજે અમે એક ઐતિહાસિક સ્થળ હનુમાનજીના મંદિર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર વિશે તમને જણાવશું. આ લેખ માત્ર વાંચીને પણ તમે તેની કૃપા મેળવી શકો એવા એક સ્થાન વિશે અને તેના ઈતિહાસ વિશે આજે માહિતી આપશું. મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર હનુમાનજીના ભવ્ય મંદિરો આવેલા છે. પરંતુ તેમાં જો કોઈ ખાસ શ્રદ્ધાનું અને આસ્થાનું ધામ હોય તો એ છે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. મિત્રો બોટાદ જીલ્લાનું સાળંગપુર ધામ આજે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ પુરા વિશ્વભરમાં ખુબ જ પ્રખ્યાત છે. આ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધામમાં લોકો રડતા રડતા પોતાના દુઃખો લઈને આવે છે અને હસતા હસતા પાછા ફરે છે. અને એટલા માટે જ અહિયાં ભગવાન હનુમાનજીનું નામ પણ સાળંગપુર કષ્ટભંજન દેવ છે. મિત્રો આજે તમને કળીયુગના સાક્ષાત અને હાજરા હજૂર દેવતા હનુમાનજીના આ ખુબ જ પ્રસિદ્ધ ધામ વિશે જણાવશું. જેના વિશે લોકોની માન્યતા છે કે સાળંગપુર હનુમાનજીના મંદિરે હનુમાનજી પોતે જ અદ્રશ્ય અવસ્થામાં બિરાજમાન છે અને ત્યાં જનારા લોકોના દુઃખ દુર કરી તેમને આશીર્વાદ આપે છે. ખાસ કરીને શનિવારે આ મંદિરે દર્શનાર્થીઓની ખુબજ ભીડ હોય છે.

કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર ગુજરાતના બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું છે.સાળંગપુર ભાવનગરથી માત્ર 82 કી.મી. દુર આવેલુ હોય, કાર કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. આ અદ્દભુત મંદિરમાં ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના ભગવાન શ્રી સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.


આવો... જાણીએ હનુમાનજીના મંદિર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરનો પ્રાચીન ઈતિહાસ :
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી. આ મંદીર ખુબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.

પ્રગટ સામર્થ્યથી શ્રી હનુમાનજીની મૂર્તિ ધ્રુજી... આરતી સમયે સ.ગુ શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિસામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યાં અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજને અવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવા આહ્વાન આપ્યું. ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાંની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ અવિર્ભાવ પામ્યા, તે સાથે જે આ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી. સર્વસુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ મૂર્તિમાં બિરાજીને મારૂતિનંદન હસવા લાગ્યાં.

સ્વામીશ્રીએ હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલા હરકોઈ મનુષ્યોનાં દુખ દૂર કરજો. મૂઠ-ચોટ-ડાકણ-શાકણ-મલીન- મંત્ર-તંત્ર-ભૂત-પ્રેત-બ્રહ્મરાક્ષસ-ચૂડેલ-પિશાચ વગેરેના પાશથી પીડિતોને સર્વ પ્રકારે મુક્ત કરીએ સર્વનો ઉદ્ધાર કરજો. મૂર્તિ ત્યાં સુધી ધ્રુજતી જ હતી...ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી! બાજુમાં ગાઢપુરપતિ શ્રી ગોપાનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રી મદનમોહનજી મહારાજનું માહાત્મ્ય ઘટી જશે, માટે પ્રગટ સામર્થ્યથી મૂર્તિને ધ્રુજતી બંધ કરો. ત્યાર બાદ સ્વામીજીની વિનંતીથી મૂર્તિ ધ્રુજતી અટકી. આજે પણ હનુમાનજીદાદા તેમના આંગણે આવનારા હર કોઈ પીડિત પર એકસમાન પ્રેમ વરસાવી સુખિયા કરે છે.






મહત્વની લીંક :
શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરના જીવંત(LIVE) દર્શન કરવા માટે...
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વેબસાઇટ
શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર જીવંત(LIVE) દર્શન

શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર જીવંત(LIVE) દર્શન... 👇





શ્રી સાળંગપુર હનુમાન દાદાના દર્શન માત્રથી દુર થાય છે નકારાત્મક શક્તિઓ :
નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે પ્રખ્યાત છે. સાળંગપુર હનુમાન મંદિર નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે સૌથી વધારે પ્રખ્યાત છે. શ્રી સાળંગપુર હનુમાન દાદાના દર્શન માત્રથી દુર થાય છે નકારાત્મક શક્તિઓ. અહીં ભૂત-પ્રેત જેવી બાધાઓથી પીડિત વ્યક્તિને તેના પરિજનો લાવે છે, શ્રદ્ધાળાઓના જણાવ્યાનુસાર આવા લોકો જ્યારે હનુમાનજીની મૂર્તિ સામે આવે છે અને તેમની આંખમાં જુએ છે તે ક્ષણથી જ તેઓ ખરાબ શક્તિઓથી મુક્ત થઈ જાય છે. આ મંદિરમાં શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે. જો કે અહીં માનસિક રીતે વિચલિત લોકોની સમસ્યા પણ દૂર કરવામાં આવે છે. આ લોકોને મૂર્તિ સામે ઊભા રાખી અને તેમને એક દંડનો સ્પર્શ કરાવવામાં આવે છે. આ દંડનો ઉપયોગ સ્વામી ગોપાલાનંદે મૂર્તિ સ્થાપના વખતે કર્યો હતો. જાણકારોના મતાનુસાર દંડના સ્પર્શથી મૂર્તિમાં પ્રાણ પુરાયા હતા. આ દંડને ચમત્કારી માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં આવતાં ભક્તો માટે રહેવા તેમજ પ્રસાદની વ્યવસ્થા પણ મંદિરમાં કરવામાં આવે છે.

મિત્રો જે પણ વ્યક્તિ પુરા શ્રદ્ધા ભાવથી સાળંગપુર હનુમાન દાદાના દર્શને આવે છે, તેના દરેક દુઃખોનું નિવારણ આવે છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તેથી જ તો અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે. એવું કહેવાય છે કે કષ્ટભંજન હનુમાનજી ભગવાનનું નામ લેવાથી પણ કષ્ટો દુર થાય છે.





સર્વ કોઈ માટે સદાય ખુલ્લો રહેતો દાદાનો દરબાર :
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવના મંદિરમાં નિત્ય સવારે 8થી 10 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી પાઠ ચાલે છે. જો કોઈને કશી મુશ્કેલી હોય તો આ સમયે હનુમાનજી દાદા આગળ રજુ કરવાથી દુખી જીવોને પાઠપૂજા આપવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરાયેલી પાઠપૂજા દ્વારા સર્વથા સર્વપ્રકારે સુખશ્રેય થાય છે. સાળંગપુરમાં પ્રગટપણે બિરાજતા શ્રી કષ્ટભંજન દેવનાં દર્શન-સેવા-માનતા રાખનારનાં કષ્ટો દૂર થાય છે.

કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષસ ન માને તો સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામીની લાકડીનો છેડજળમાં બોળીને પ્રસાદીભૂત કરેલું જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું નહીં, તે ભૂતપ્રેતનો ઉદ્ધાર પણ થાય છે. અહીં સૌને ઉતારાપાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે. કદાચ જાણીને નવાઈ લાગશે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે.



દાદા કષ્ટભંજન દેવ એમને મનુષ્યોની વાચા આપીને યથાયોગ્ય મુક્તિ આપે છે. દાદાના શરણે આવનાર હરકોઈ જીવ સદગતિ પામે છે અને આધિ-વ્યાધિ-ઉપાધિથી છુટકારી મેળવે છે. આ મંદિરમાં શ્રીજીની પ્રસાદીનું ગાંડુ-પલંગ-બાજોટ છે જેની નીચે વળગાડવાળાને બેસાડવાથી ભૂત-પ્રેત બળે છે અને આવો ભયંકર દંડ મળવાથી ભાગી જવા માટે તત્પર થઈ જાય છે. આ મંદિરના ગંગાજળિયા કૂવાનાં જળમાંથી શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું તેમજ જળપાન કર્યું હતું.

આ જ કુવામાંના જળથી કષ્ટભંજન દેવના પણ જળાભિષેક કરવામાં આવ્યો હતો. અહીંના નારાયણકુંડમાં શ્રીજી મહારાજે ઘણી વખત અનેક સંતો-ભક્તો સહિત સ્નાન કર્યું છે. મનુષ્ય-પશુ-પક્ષીમાંથી નીકળેલ કરોડો ભૂતપ્રેતને આ નારાયણકુંડના ખારામાં મોકલવામાં આવે છે, ત્યાંથી તેની સદગતિ થાય છે.

શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર


સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ દાદાનો દરબાર :
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવના મંદિરમાં નિત્ય સવારે 8થી 10 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી પાઠ ચાલે છે. જો કોઈને કશી મુશ્કેલી હોય તો આ સમયે હનુમાનજી દાદા આગળ રજુ કરવાથી દુખી જીવોને પાઠપૂજા આપવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરાયેલી પાઠપૂજા દ્વારા સર્વથા સર્વપ્રકારે સુખશ્રેય થાય છે. સાળંગપુરમાં પ્રગટપણે બિરાજતા શ્રી કષ્ટભંજન દેવનાં દર્શન-સેવા-માનતા રાખનારનાં કષ્ટો દૂર થાય છે.

કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષસ ન માને તો સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામીની લાકડીનો છેડજળમાં બોળીને પ્રસાદીભૂત કરેલું જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું નહીં, તે ભૂતપ્રેતનો ઉદ્ધાર પણ થાય છે. અહીં સૌને ઉતારાપાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે. કદાચ જાણીને નવાઈ લાગશે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે.

દાદા કષ્ટભંજન દેવ એમને મનુષ્યોની વાચા આપીને યથાયોગ્ય મુક્તિ આપે છે. દાદાના શરણે આવનાર હરકોઈ જીવ સદગતિ પામે છે અને આધિ-વ્યાધિ-ઉપાધિથી છુટકારી મેળવે છે. આ મંદિરમાં શ્રીજીની પ્રસાદીનું ગાંડુ-પલંગ-બાજોટ છે જેની નીચે વળગાડવાળાને બેસાડવાથી ભૂત-પ્રેત બળે છે અને આવો ભયંકર દંડ મળવાથી ભાગી જવા માટે તત્પર થઈ જાય છે. આ મંદિરના ગંગાજળિયા કૂવાનાં જળમાંથી શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું તેમજ જળપાન કર્યું હતું.

આ જ કુવામાંના જળથી કષ્ટભંજન દેવના પણ જળાભિષેક કરવામાં આવ્યો હતો. અહીંના નારાયણકુંડમાં શ્રીજી મહારાજે ઘણી વખત અનેક સંતો-ભક્તો સહિત સ્નાન કર્યું છે. મનુષ્ય-પશુ-પક્ષીમાંથી નીકળેલ કરોડો ભૂતપ્રેતને આ નારાયણકુંડના ખારામાં મોકલવામાં આવે છે, ત્યાંથી તેની સદગતિ થાય છે.


સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે આવતા દર્શાનાર્થીઓ :
પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરની કીર્તિ આજે આઠેય દિશાઓમાં ફેલાયેલી છે. આ મંદિરમાં વર્ષે આશરે બે કરોડ જેટલાં દર્શનાર્થીઓ આવે છે. દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000 થી 30,000 માણસો શ્રી હનુમાનજીદાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. આ મંદિર આસો વદ પાંચમ (પાટોત્સવ દિવસ) હનુમાન જયંતી, કાળી ચૌદશ તથા હિંદુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે.


શ્રી કષ્ટભંજનદેવ મંદિરનો દિવસ સવારે સાડા પાંચે મંગળા આરતીથી શરૂ થાય છે. ત્યારબાદ સાડા છથી સાત બાળભોગ, સાડા દસથી અગિયાર રાજભોગ થાય છે. બપોરે 12થી 3 દર્શન બંધ રહે છે. સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી અને રાત્રે 9 વાગ્યે શયન થાય છે. આ પવિત્ર ધામનું સંચાલન વડતાલ-સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ બોર્ડ કરે છે. મંદિરના કોઠારીસ્વામીની નિમણૂક આ બોર્ડે જ કરી છે.


સાળંગપુર હનુમાનજી ડેઈલી દર્શન ટાઈમ :
મંગલા આરતી (સવારે) 5:30
બાલ ભોગ (દર્શન બંધ) સવારે 6:30 થી 7:30
શૃંગાર આરતી (શનિવાર & મંગળવાર) સવારે 7:00
રાજભોગ થાળ (દર્શન બંધ) સવારે 10:30 થી 11:00
દર્શન બંધ બપોરે 12:00 થી 3:15


કેવી રીતે પહોંચવું ? :
વિમાન દ્વારા :
સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું ભાવનગર એરપોર્ટ માત્ર 82 કી.મી. દુર આવેલુ છે.

ટ્રેન દ્વારા :
સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું મુખ્ય રેલ્વે સ્ટેશન બોટાદ છે. જે માત્ર 10 કી.મી. દુર આવેલુ છે.

માર્ગ દ્વારા :
આ સ્થળ અમદાવાદથી આશરે 153 કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.
સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું મુખ્ય બસ સ્ટેન્ડ બોટાદ છે. જે માત્ર 10 કી.મી. દુર આવેલુ છે.


શ્રી કષ્ટભંજનદેવ મંદિર સર્વ સુખોનું ધામ :
દુનિયાની તમામ વ્યક્તિઓ સુખી રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના, પરંતુ કર્મવશાત્ કોઈ દુખ આવી પડે તો ભૂવા-તાંત્રિક, શુદ્ધ દેવ-દેવીના ચરણોમાં ન જશો અને સર્વ સુખોના ધામ સમા શ્રી કષ્ટભંજન દેવના શરણે પધારજો. દાદા સર્વપ્રકારે તમને સુખિયા કરશે. - શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશ સ્વામી


અમને વિશ્વાસ છે કે... આપને અમારી આ જાણકારી જરૂર ગમી હશે. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...




લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ  ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, કવિતાઓ, વાર્તાઓ,રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ, મ્યુઝિક, સ્પોર્ટ્સ,  ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on August 21, 2022
Hello Readers,  𝑤𝑤𝑤.𝑡ℎ𝑒𝑘𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒𝑧𝑜𝑛𝑒1.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



આવીજ રસપ્રદ જાણકારી આપ આપના મોબાઈલ પર મેળવવા માંગતા હોવ તો... આપ અમારા બ્લોગને ફોલો(Follow) કરો. જેથી અમારી નવી પોસ્ટની જાણકારી આપને નોટીફીકેશન દ્વારા મળી રહેશે. તેમજ આપ અમારી સાથે  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના વોટ્સએપ ગ્રુપ તેમજ ટેલીગ્રામ ચેનલ દ્વારા અમારી સાથે જોડાઈ શકો છો. અને લેટેસ્ટ જાણકારી મેળવી શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top