THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: PM કિસાન યોજના 2022: જાણો... PM કિસાન સન્માન નિધિ યોજના 2022 નવી યાદી, આગામી હપ્તો ક્યારે આવશે?
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
PM કિસાન યોજના 2022: જાણો... PM કિસાન સન્માન નિધિ યોજના 2022 નવી યાદી, આગામી હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન યોજના: પીએમ કિસાન સન્માન નિધિ યોજ...
PM કિસાન યોજના 2022: જાણો... PM કિસાન સન્માન નિધિ યોજના 2022 નવી યાદી, આગામી હપ્તો ક્યારે આવશે?
PM કિસાન યોજના 2022: જાણો


પીએમ કિસાન યોજના: પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2022 :
આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવાના ઉદ્દેશ્ય સાથે "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના" શરૂ કરી છે. આ યોજના 01 ફેબ્રુઆરી 2019 થી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર રૂ.ની સહાય પૂરી પાડે છે. 6000/- ખેડૂતોને વર્ષમાં એકવાર. ₹ 6000 ની આ નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM કિસાન નિધિ સન્માન યોજના (PM કિસાન નિધિ સન્માન યોજના શું છે) શું છે?
જેમ તમે જાણો છો, પીએમ કિસાન નિધિ સન્માન યોજના હેઠળસહાયનું ધોરણ , કેન્દ્ર સરકાર PM કિસાન નિધિ સન્માન યોજનામાં લાભાર્થીને ખેડૂત કુટુંબને દર વર્ષે રૂ.6000/- ચૂકવવામાં આવે છે. આ સહાય DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે. જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર(4) માસએ ચૂકવવામાં આવે છે. પીએમ કિસાન યોજના અન્‍વયે પ્રથમ હપ્તા તરીકે તારીખ: 01/12/2018 થી 31/03/2019 ના રોજ  રૂ.ચૂકવાયેલ. આ પૈસા દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યા છે પરંતુ જો સરકારે ખાતામાં પૈસા નાખ્યા હોય અને કોઈ કારણોસર ખેડૂતોના ખાતામાં પૈસા ન આવી શકતા હોય તો ટોલ ફ્રી પર ફોન કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકશો.

PM કિસાન યોજનાના લાભો અને પાત્રતાની શરતો :
       ભારત સરકાર દ્વારા Pradhan mantri kisan samman nidhi scheme 2021 માટે પાત્રતા નક્કી કરેલ છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ.

પીએમ કિસાનએ સેન્‍ટ્રલ યોજના છે. આ યોજનામાં ભંડોળ 100% ભારત સરકારનું છે.
PM Kisan Yojana અંતર્ગત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આપવામાં આવે છે.
જે ખેડૂત પરિવારોને 2 હેકટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.

PM કિસાન યોજના અંતર્ગત ખેડૂત કુટુંબ કોને ગણવું :
ભારત સરકાર દ્વારા કુંટુંબની નક્કી કરેલ છે. જેમાં પતિ, પત્ની અને સગીર બાળકો (18 વર્ષથી ઓછી વયના) કે જેઓ કોઈપણ વ્યક્તિગત કે સંયુકત રીતે ખેડાણ લાયક જમીન ધરાવતા હોય. જે સામૂહિક રીતે, સંબંધિત રાજ્ય કે સંઘપ્રદેશના જમીન રેકર્ડ અનુસાર 2 હેક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતું હોય તે ખેડૂત કુટુંબ ગણી શકાય.

એવા તમામ ખેડૂતો કે જેમની પાસે 02 હેક્ટરથી ઓછી ખેતીલાયક જમીન છે તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરી શકે છે. આ લેખમાં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટેની અરજી પ્રક્રિયા, લાભો, પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો, સૂચિ કેવી રીતે ડાઉનલોડ કરવી? વગેરે આ લેખમાં તમારી સાથે શેર કરવામાં આવશે.
PM કિસાન સન્માન નિધિ યોજના 2022
યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના
ભાષા ગુજરાતી અને English
બજેટ 2019-2020
ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થી દેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ 6000 વાર્ષિક
અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/


PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થતો નથી:
PM કિસાન ખેડૂત યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના માટે ભારત સરકારએ પાત્રતા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ ક્યા-ક્યા નાગરિકોને મળશે નહીં તેની વિગતો આ મુજબ છે.

  • વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને આ લાભ મળશે નહીં.
  • હાલમાં કે ભૂતકાળમાં મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • કેન્‍દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેની ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને PMKSY નો લાભ મળશે નહીં. (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના)
  • તમામ વય નિવૃત પેન્‍શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ.10,000/- કે તેથી વધુ પેન્‍શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના) એમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં.
  • છેલ્લા આકારણી વર્ષમાં ઈન્‍કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, એન્‍જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્‍ટન્‍ટ અને આર્કીટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય તેવા વ્યવસાય ધરાવતા હોય એમને મળશે નહીં.


PM કિસાન સન્માન નિધિ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન:
નવા ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો લાભ લેવા માટે Online ફોર્મ ભરવાનું રહેશે. New Farmer Registration – PM Kisan માટે ગ્રામ પંચાયત માટે VCE પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકાશે. ગ્રામ પંચાયત ખાતેથી VCE નવા ખેડૂતોને આ યોજનાનું https://www.digitalgujarat.gov.in/ મારફતે ઓનલાઈન અરજી કરશે.


PM કિસાન સન્માન નિધિ યોજના માટે  જરૂરી ડોક્યુમેન્‍ટ :
ભારત સરકારની PM કિસાન સન્માન નિધિ યોજના માટે  જરૂરી ડોક્યુમેન્‍ટ આ મુજબ રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજો નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
  • 8-અ નો ઉતારો
  • 7/12  નો ઉતારો
  • આધારકાર્ડ
  • જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્‍ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્‍સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્‍સલ ચેક

PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીની સ્થિતિ :
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થી ખેડૂત પોતાની જાતે Application Status જાણી શકે છે. પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે નીચે મુજબના પ્રક્રિયા કરવાની રહેશે.


PM કિસાન સન્માન નિધિ યોજના કિસાન સ્ટેટસ ચેક 2022 :
        પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે લાભાર્થીઓને દર વર્ષે 6000 ચૂકવવા આવે છે. ભારત સરકાર દ્વારા 4 માસે 2000 હપ્તા પેટે નાખવામાં આવે છે. આ હપ્તાની રકમ DBT દ્વારા ખાતામાં જમા થઈ કે નહીં તે જોવા માટે કચેરી કે બેંક સુધી જવાની જરૂર નથી. કારણ કે આ સુવિધા PM-KISAN Official Website પરથી જાણી શકાય. પોતાની સહાયની રકમ પોતાના મોબાઈલ,કોમ્પ્યુટર કે લેપટોપના માધ્યમથી જાતે જોઈ શકાય છે. જે પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.
  • સૌથી પહેલાં ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ખોલાવી.
  • વેબસાઈટ ખોલ્યા બાદ Beneficiary Status પર ક્લિક કરવું.
  • ત્યારબાદ નવું પેજ (સ્ક્રીન) ખુલશે.
  • જેમાં સહાયની રકમ આપ આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
  • ઉપર ત્રણમાંથી એકની વિગત નાખવામાં આવશે તો PM કિસાન સન્માન નિધિ યોજના ની સહાય ચેક કરી શકાય.


PM કિસાન સન્માન નિધિ યોજના - 2022 અરજી ફોર્મ PDF :
આ યોજનાનો લાભ લેવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા નિયત નમૂનમાં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. જેમાં એકરારનામુ પણ આપેલું છે. જેના પર લાભાર્થી દ્વારા સહી કરવાની રહેશે અને આ અરજી ફોર્મ સંબંધિત વિસ્તારની ગ્રામ પંચાયત અને તલાટી પાસે જમા કરવાનું રહેશે.



PM કિસાન નિધિ યોજના - 2022 હેલ્પલાઈન નંબર :
આ યોજનાનો લાભ 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હોય તો મળવાપાત્ર છે. જો તમે કોઈની જમીનની વાવણી કરતા હોય અથવા ખેતમજૂરી કરતા હોય તો PMKSY નો લાભ મળશે નહીં. ભારત સરકાર દ્વારા સન્માન નિધિ પેટે રૂ.2000 નાખવામાં આવે છે જો તમને આ સહાયની રકમ જમા ન થઈ હોય તો કોઈપણ પ્રકારની સહાયતા માટે ખેડૂત મિત્રો... નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો.
  • PM કિસાન નિધિ યોજના લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
  • PM કિસાન નિધિ યોજના ટોલ ફ્રી નંબર: 1800-115-5266


Kisan Helpline Number (કિશાન હેલ્પલાઇન નબર) :
Assam, Arunachal Pradesh, Bihar, Chhattisgarh, Jharkhand, Goa, Gujarat, Haryana, Himachal Pradesh Telephone No. 1551 or 1800-180-1551
Madhya Pradesh, Maharashtra, Odisha, Karnataka, Kerala, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Telephone No. 1551 or 1800-180-1551
Uttar Pradesh, Uttarakhand, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana, West Bengal, Tripura Telephone No. 1551 or 1800-180-1551



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top