ગુરુવાર, 24 માર્ચ, 2022

રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ

રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ 
રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ



Russia Vs Ukraine:  રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ બંને વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કયા કારણો જવાબદાર છે?
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધી શું થયું છે?

રશિયા અને યુક્રેન સંઘર્ષ: રશિયા અને યુક્રેન સંઘર્ષ વચ્ચેના આ અઘોષિત યુદ્ધેથી  વિશ્વની રાજનીતિ, અર્થતંત્ર, વૈશ્વિક બજાર પ્રણાલીને ખુબ મોટું નુકશાન થયું છે. રશિયા-યુક્રેન કટોકટી પર બંને દેશો અહીં  આ સ્થિતિએ કેવી રીતે આવ્યા, તેઓ શું ઈચ્છે છે અને બીજું ઘણું બધું અહીં  ચર્ચા કરવાની છે. આને લઈને વિશ્વના નેતાઓ દ્વારા કટોકટીનો ઉકેલ લાવવાના રાજદ્વારી પ્રયાસો કર્યા પણ હજુ સુધી ઉકેલ આવેલ નથી.

રશિયા અને યૂક્રેન વચ્ચેનું આ યુદ્ધ ભયંકરસ્થિતિમાં પહોંચી ચુક્યું છે. રશિયાએ યૂક્રેનના અનેક વિસ્તારો પર બોમ્બ ગોળાનો વરસાદ કર્યો છે. ખુબજ મોટી નુકશાની યૂક્રેનમાં થઇ છે. છતાં પણ યૂક્રેન હાર માનવા તૈયાર નથી. 
રશિયાએ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં યુક્રેન પર હુમલો કર્યો હતો અને હજુ પણ યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી રશિયન સેનાએ યુક્રેનમાં ઘણી તબાહી મચાવી છે. રશિયન સેનાના આ હુમલામાં માત્ર યુક્રેનની સેના (Attacks In Ukraine) જ નહીં પરંતુ ત્યાંના લોકો પણ તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. યુક્રેનમાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને લોકો હવે ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે તરસી રહ્યા છે. યુક્રેન તરફથી વારંવાર એવા દાવા કરવામાં આવે છે કે તેણે રશિયન સેનાના ઘણા સૈનિકોને મારી નાખ્યા છે.

આવી સ્થિતિમાં, સવાલ એ થાય કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કયા દેશને કેટલુ નુકસાન થયું છે અને કેટલા લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે ? તો જાણો યુક્રેને તેના સૈનિકો અને નાગરિકોના મોતથી શું ગુમાવ્યું છે, જ્યારે રશિયન સેનાને કેટલું નુકસાન થયું છે

આ યુદ્ધ થવા પાછળના કયા કારણો જવાબદાર છે..જાણીએ વિસ્તારથી.  
કહેવાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધ પાછળના આ છે ખાસ કારણો.

દુનિયા આજે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ વિનાશકારી  જંગને અધ્ધર શ્વાસે જોઈ રહી છે.

(1). રશિયાના રાષ્ટ્રપતિ પુતિને લશ્કરી આક્રમણનો આદેશ આપ્યા બાદ રશિયન સેનાએ યુક્રેનમાં ઘૂસીને આક્રમણ કરી રહી છે. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ નવી વાત નથી.1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી. કહેવાય છે કે... એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી.
(2). યુક્રેન અમેરિકાના આગેવાની હેઠળના નાટો સંગઠનનુ સભ્ય બનવા માંગે છે પણ રશિયા ઈચ્છતુ નથી કે, યુક્રેન આ સંગઠનમાં જોડાય.
(3). રશિયા એ અમેરિકા અને નાટો સંગઠન પાસે ગેરંટી માંગી હતી કે, યુક્રેનને નાટોનુ સભ્ય નહીં બનાવાય પણ અમે્રિકા અને નાટો દેશો આવી ગેરંટી આપવા માટે તૈયાર નહોતા.રશિયાને ડર હતો કે, જો યુક્રેન નાટો દેશોનુ સભ્ય બન્યુ તો યુરોપના અને અમેરિકાના સૈનિકોની તૈનાતી રશિયાની બોર્ડર સુધી થશે.
(4). 2014માં ક્રિમિયા પર રશિયાએ નિયંત્રણ સ્થાપિત કરી લીધા બાદ યુક્રેનના ડોનત્સ્ક અને લુહાન્સ્કમાં રશિયન તરફી ભાગલાવાદી જુથોએ આ બંને શહેરોને સ્વાયત્ત ઘોષિત કરી દીધા હતા.
(5). રશિયાએ આ બંને શહેરોને અલગ દેશની માન્યતા આપ્યા બાદ વૈશ્વિક સ્તરે તનાવ વધી ગયો હતો.યુક્રેનના સંકટને અમેરિકા અને રશિયા વચ્ચે દુનિયા પર વર્ચસ્વ સ્થાપવાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહ્યુ છે.
(6). 2019માં યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ વોલોદીમીર જેલેન્સ્કીએ નાટોમાં જોડાવા માટેના પ્રયાસો વધારે ઝડપી બનાવતા રશિયા ચોંકી ઉઠ્યુ  હતુ અને તેણે બોર્ડર પર રશિયન સેનાની તૈનાતી વધારવા માંડી હતી. આખરે આ તનાવ હવે યુદ્ધમાં પલટાઈ ચુકયો છે.

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના આજે ૨૯માં  દિવસે જાણો રશિયા-યુક્રેનને અત્યાર સુધીમાં કેટ કેટલુ નુકસાન થયું ?
રશિયા - યુક્રેન યુદ્ધ : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૯ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં યુક્રેન અને રશિયા બંનેની સેનાને ઘણું નુકસાન થયું છે અને યુક્રેનમાં ઈમારતો વગેરેને ભારે નુકસાન થયું છે.

રશિયાએ કેટલું સહન કર્યું ?
યુક્રેન દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ અત્યાર સુધીમાં 15,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય યુક્રેન દ્વારા રશિયાની 252 આર્ટિલરી સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત યુક્રેને 509 રશિયન ટેન્કને નષ્ટ કરી દીધી છે અને ઘણી જગ્યાએ ટેન્કને દફનાવવામાં આવી છે. યુક્રેને કરેલા દાવા મુજબ, રશિયાના 123 હેલિકોપ્ટર, 99 ફાઈટર જેટ, 80 MLRS, 45 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમને નષ્ટ કરી છે. યુક્રેન રશિયન સેનાનું મનોબળ ઘટાડવા માટે સતત આવા આંકડાઓ જાહેર કરી રહ્યું છે અને શરૂઆતથી જ તે યુક્રેનથી રશિયન સેનાને નુકસાન પહોચાડવાાં આવ્યુ હોવાના અહેવાલો જાહેર કરી રહ્યું છે.

રશિયાનું માનવું છે કે યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 9861 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 27 દિવસના આ યુદ્ધમાં 16153 સૈનિકો ઘાયલ થયા છે. જો કે, આના થોડા દિવસો પહેલા, રશિયા તેના 500 સૈનિકોના મૃત્યુની વાત કરી રહ્યું હતું, પરંતુ હવે આ સંખ્યા લગભગ 10 હજાર કહેવામાં આવી રહી છે.


યુક્રેનમાં કેટલું નુકસાન થયું ?
તમને જણાવી દઈએ કે યુદ્ધમાં થયેલા નુકસાનને લઈને ઘણા પ્રકારની વિગતો સામે આવી રહી છે અને દરેક દ્વારા અલગ-અલગ આંકડાઓ અને વિગત રજૂ કરાઈ રહી છે. અત્યારે, યુનાઈટેડ નેશન્સ, મીડિયા રિપોર્ટ્સ, યુક્રેનિયન અધિકારીઓ, અમેરિકા તરફથી ઘણા પ્રકારના ડેટા સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયન હુમલાને કારણે યુક્રેનમાં ઓછામાં ઓછી 1000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને લગભગ 3000 લોકો માર્યા ગયા છે. સૌથી વધુ અસર યુક્રેનના શહેર મેરિયુપોલને થઈ છે, જેના પર રશિયા દ્વારા સતત બોમ્બમારો થઈ રહ્યો છે. આ શહેર અંગે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે અત્યાર સુધીમાં લગભગ 1000 લોકોના મોત થયા છે.

મેરીયુપોલમાં રશિયન સેના દ્વારા હોસ્પિટલો, શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી છે અને ત્રણ લાખથી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો હવે વીજળી, પાણી અને ખોરાક માટે વલખા મારી રહ્યાં છે અને રશિયા દ્વારા હુમલો કરાયેલા ડઝન શહેરોમાંથી, મેરીયુપોલમાં સૌથી વધુ હુમલા થયા છે. હકીકતમાં, કિવ પર રશિયાની નિષ્ફળતા પછી, આ શહેર પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને હજારો નાગરિકોને બંધક જેવા બનાવવામાં આવ્યા છે. મેરીયુપોલથી લોકોને બળજબરીથી રશિયા મોકલવામાં આવી રહ્યા છે.


BPL-2022: તમારી આગામી નવી BPL યાદી-2022 તેમજ તમામ રાશનકાર્ડની યાદી ડાઉનલોડ કરો.

BPL-2022: તમારી આગામી નવી BPL યાદી-2022 તેમજ તમામ રાશનકાર્ડની યાદી ડાઉનલોડ કરો.
BPL-2022 ડાઉનલોડ



રેશનકાર્ડ દેશના દરેક નાગરિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
જેમાં પરિવારના સભ્યોની વિગતો આપવામાં આવી છે. કોઈપણ પરિવારના રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.


NFSA હેઠળ અને NFSA હેઠળ
APL-1, APL-2, BPL (APL1 + APL2 + BPL), (AAY + PHH)
રેશનકાર્ડના લાભાર્થીઓ રેશનકાર્ડના લાભાર્થીઓ છે.
જેમાં દરેકને રેશનકાર્ડ મુજબના વિવિધ લાભો મળે છે.


તમે અહીં આપેલી લિંક પરથી તમારા ગામની BPL યાદી ડાઉનલોડ કરી શકશો. સરકાર દ્વારા ક્યારેક બીપીએલ યાદીમાં ફેરફાર કરવામાં આવે છે તો વર્તમાન બીપીએલ યાદીમાં શું ફેરફાર છે? તમારા ગામમાં કોનો સમાવેશ થાય છે, તમારો પરિવાર કે તમારા પરિવારમાં તમારા સંબંધીઓ BPL યાદીમાં સમાવિષ્ટ છે? આ બધા પ્રશ્નોના જવાબો આજે લિંક પર મળી શકે છે. ક્યારેક આપણું પોતાનું નામ BPL લિસ્ટમાં નથી હોતું પણ અમને લાગે છે કે જો અમારી પાસે BPL કાર્ડ હોય તો અમારે અહીં લેટેસ્ટ લિસ્ટ જોવું પડશે. રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કર્યા પછી, તમારી બીપીએલ સૂચિ લાગુ કરવાની રહેશે

ગરીબોની અન્ન સુરક્ષા માટે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ, નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી તેને કાર્યરત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જાહેર વિતરણ વ્યવસ્થાના સંચાલન માટે વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા માસિક ધોરણે અનાજ અને અન્ય ચીજવસ્તુઓના નિયમિત પુરવઠાનું નિરીક્ષણ અને દેખરેખ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ માલની માંગ અને પુરવઠા તેમજ તેના હેઠળના નિયંત્રણ આદેશોનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવામાં આવે છે.


તમે કોઈ પણ વિસ્તાર કે આગામી તમારી BPL યાદી ડાઉનલોડ કરી શકો છો. BPL યાદી ડાઉનલોડ કેવી રીતે કરવું તે જાણો.
તમારી આગામી, નદીઓ અને સ્થાનિકો માટે નીચેની BPL યાદી જોવા સ્ટેપ મુજબ આગળ વધો. 👇
BPL યાદી ડાઉનલોડ કરો, આગામી પ્રમાણે BPL યાદી જુઓ.

:: બીપીએલ રેશનકાર્ડ લાભાર્થીઓ ::
  • સૌથી પહેલા આ લિંક ઓપન કરો.BPL યાદી
  • BPL (બી પીલ) યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
  • એક નવું પેજ ખુલશે. વર્ષ, મહિનો, કેપ્ચા કોડ દાખલ કરો અને 'GO' બટન પર ક્લિક કરો.
  • નવું પેજ આ રીતે ખુલશે.
  • રાજ્યના દરેક જિલ્લાની યાદી જોવામાં આવશે. તમારા જિલ્લાના નામ પર ક્લિક કરો.
  • તમને તમારા જિલ્લાના દરેક તાલુકાની યાદી જોવા મળશે.
  • તમારા તાલુકા પર ક્લિક કરો અને તમને તાલુકાના તમામ ગામોની યાદી જોવા મળશે.
  • તમારા ગામ ના નામ પર ક્લિક કરો. તમારા ગામમાં કુલ રેશનકાર્ડ કેટેગરી મુજબ ઉપલબ્ધ થશે. તમે કોઈપણ શ્રેણીની સૂચિ જોવા મળશે.


ખાસ નોંધ: સાઈડ વિસ્તાર બંધનો સમય : બપોરે 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી.


important link:


રેશનકાર્ડના આધારે દેશના વિવિધ રાજ્યોમાં રહેતા દેશના દરેક નાગરિકને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે પરિવારના વડાએ રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલ નિયત ફોર્મ મુજબ ફોર્મમાં સંપૂર્ણ વિગતો આપવાની રહેશે અને તેના વિસ્તારના તાલુકા મામલતદાર/ઝોનલ ઓફિસરની કચેરીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. સિટીઝન ચાર્ટરની જોગવાઈઓ મુજબ, તાલુકા મામલતદાર શ્રી/ઝોનલ ઓફિસરે અરજદારની અરજી તપાસવાની હોય છે અને જરૂરિયાત મુજબ કાર્ડની કેટેગરી નક્કી કરવી, પરિવારના વડાના ફોટા અને બાયોમેટ્રિક વિગતો મેળવવાની હોય છે. સભ્યો, બારકોડેડ રેશન કાર્ડ જારી કરો. બારકોડેડ રેશનકાર્ડ યોજના હેઠળ, કાર્ડધારકે તેમની બાયોમેટ્રિક વિગતોના આધારે ઈ-ગ્રામ/સાયબર કાફેની મુલાકાત લેવાની હોય છે અને તેમના કાર્ડની કેટેગરી અનુસાર જરૂરી વસ્તુઓના જથ્થાના બારકોડેડ કૂપન મેળવવાના હોય છે. કાર્ડધારકો માટે ઉપલબ્ધ દરેક આઇટમ માટે વ્યક્તિગત કૂપન પ્રિન્ટ કરવામાં આવે છે અને A-3 સાઇઝની બારકોડેડ કૂપન શીટ પર આપવામાં આવે છે. અને તે કૂપન ઉપર કાર્ડ ધારકનું નામ, કાર્ડનો નંબર, જેની પાસેથી જથ્થો મેળવવાનો છે તે દુકાનદારનું નામ, તે માસ માટે મેળવવાનો માલનો જથ્થો, કિંમત વગેરે પણ દર્શાવવામાં આવે છે. સરકારે કૂપન શીટની કિંમત રૂ. 5/- નક્કી કરવામાં આવેલ છે. કૂપન શીટની મધ્યમાં કાર્ડધારકની નકલ પણ છાપવામાં આવે છે. A/4 સાઈઝની પેપર શીટના બંને છેડા પરની બારકોડેડ કૂપન જરૂરિયાત મુજબ કાપવામાં આવે ત્યારે વાજબી કિંમતના દુકાનદાર/કેરોસીન એજન્ટ/હોકરને દર્શાવેલ રકમ ચૂકવવાની રહેશે અને કૂપન પર જથ્થો પ્રિન્ટ કરાવવો પડશે. તે જ સમયે, તે વર્ષના મહિના દરમિયાન મેળવવામાં આવેલ આવશ્યક વસ્તુઓના જથ્થાની પણ બારકોડેડ રેશનકાર્ડમાં નોંધ લેવી જોઈએ. બારકોડેડ રેશનકાર્ડ ધારક કોઈપણ વ્યાજબી ભાવની દુકાનમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓનો જથ્થો મેળવી શકે તે માટે આગામી દિવસોમાં વ્યવસ્થા કરવા પણ વિચારણા કરવામાં આવી રહી છે.





બારકોડેડ રેશનકાર્ડ તેમજ બાયોમેટ્રિક આધારિત કુપન સિસ્ટમ દ્વારા મેળવેલ કુપન વાજબી કિંમતના દુકાનદાર કે કેરોસીન રિટેલર કે હોકર દ્વારા પોતાની અનુકૂળતા મુજબ વાંચવી જોઈએ, પરંતુ કોઈ પણ સંજોગોમાં મહિનાના અંત પહેલા ઈગ્રામ/સાયબરની મુલાકાત લઈને કાફે. આગામી દિવસોમાં વ્યાજબી કિંમતના દુકાનદારો અથવા કેરોસીનના હોકર્સ/છૂટક વિક્રેતાઓ કૂપન પદ્ધતિથી મહિના દરમિયાન વેચાયેલી વસ્તુઓ અનુસાર જરૂરી વસ્તુના જથ્થા માટે આગામી મહિનાની પરમિટ મેળવી શકશે. આ મુજબની વ્યવસ્થા ટૂંક સમયમાં કરવામાં આવશે.



#RASTION CARD
#NFSA
#APL-1
#APL-2
#BPL




આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

શનિવાર, 19 માર્ચ, 2022

PM કિસાન યોજના 2022: PM કિસાન eKYC કરો ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણકારી.

PM કિસાન યોજના 2022: PM કિસાન eKYC કરો ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણકારી.
PM કિસાન યોજના 2022 eKYC



PM કિસાનના eKYC વગર હવે નહીં મળે 2000 રૂપિયા.! . પીએમ કિસાન આગામી હપ્તો. । પીએમ કિસાન હેલ્પલાઈન નંબર. PM કિસાન Kyc

સર્વે કિસાન મિત્રોને જણાવવાનું કે .... આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી માનધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ વગેરે યોજનાઓ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના વિશે આપ જાણતા હશો. આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે હવે દરેક કિસાન મિત્રોએ eKYC કરવું પડશે.  જો તમારે આ યોજના માટે eKYC કરેલ નહિ હોય તો હવે પછીનો નેક્સ્ટ રૂ. 2000 નો હપ્તો આપના ખાતામાં જમા કરવામાં નહિ આવે તો દરેક કિસાનોએ  વહેલી તકે eKYC કરી દેવું. આ ઓપ્શન હવે PM Kisan ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

PM કિસાન યોજનામાં  eKYC કરેલ નહીં હોય તો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.
ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે. જો ભારત સરકારની ઑફિશિયલ વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો રૂ. 2000/- ના હપ્તા બંધ થઈ જશે. જો આપને આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના જરૂરી ડોક્યુમેન્ટના આધારે eKYC કરી લેવું.


PM કિસાન સન્માન નિધિ યોજના વિશે (About PM Kisan Samman Nidhi Yojana)

About PM Kisan Yojana-2022 (PM કિસાન યોજના વિશે) :
આ યોજનાનું નામPM કિસાન સન્માન નિધિ યોજના
ભાષાગુજરાતી અને English
બજેટ2022-2023
આ યોજનાનો ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થીદેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ6000 વાર્ષિક
ઓફિસિયલ વેબસાઈટhttps://pmkisan.gov.in/


PM કિસાન eKYC : જો તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે eKYC કરો.
તમે જ્યારે પોતાનું આધારકાર્ડ બનાવેલ હોય ત્યારે જો મોબાઇલ નંબર EDDકરાવેલ હોય તો સરળતાથી વેરિફિકેશન કરાવી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. આ વેરિફિકેશન PM Kisan Sanmaan Nidhi ના official portal પરથી વિનામૂલ્યે કરી શકો છો. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતેeKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
  • સૌથી પહેલાં ભારત સરકારના pm kisan પોર્ટલ પર જાઓ.
  • આ પોર્ટલ પર Home Page પર farmer corner પર જાઓ.
  • આ Farmer Corner માં eKYC પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP તે બૉક્સમાં નાખવાનું રહેશે.
  • ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તનારા આધારકાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
  • છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.


PM  કિસાન યોજના માટેની કેટલીક મહત્વની લીંક :

PM કિસાન યોજનાની મહત્વની લીંક :
PM કિસાન અધિકૃત વેબસાઇટઅહીં ક્લિક કરો
નવી ખેડૂત નોંધણીઅહીં ક્લિક કરો
ડાયરેક્ટ eKYC લિંકઅહીં ક્લિક કરો
આધાર રેકોર્ડને સંપાદિત કરોઅહીં ક્લિક કરો
લાભાર્થીની યાદી ડાઉનલોડઅહીં ક્લિક કરો
PMKISAN મોબાઈલ એપ ડાઉનલોડડાઉનલોડ કરો
KCC ફોર્મ ડાઉનલોડડાઉનલોડ કરો
મુખ્ય પેજ ઓફિસિયલ સાઈટઅહીં ક્લિક કરો


PM કિસાન eKYC : આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો eKYC
આધારકાર્ડ યોજના અમલમાં આવી ત્યારે મોબાઈલ નંબર ફરજિયાત રીતે દાખલ નહોતા કરતા. પરંતુ હવે નવું આધારકાર્ડ કઢાવવા જાઓ ત્યારે ફરજિયાત મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવી શકો છો.

જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને eKYC કરાવવું છે, તો તમારે નજીકના Comman Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે eKYC કરાવી શકો છો.


PM કિસાન સન્માન નિધિ-2022 eKYC અંગેની પ્રશ્નોતરી :
પ્રશ્ન-1  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ekyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?
જવાબ:- ખેડૂતોઓએ PM Kisan માટે eKYC  ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
પ્રશ્ન-2  ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC કરી શકશે.
જવાબ:- આ યોજના માટે ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે e-KYC કરી શકશે.
પ્રશ્ન-3  PM Kisan Yojana માટે e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?
જવાબ:-  હા, ખેડૂતોઓએ આ KYC કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.
પ્રશ્ન-4  પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?
જવાબ:-  જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.


PM કિસાન નિધિ યોજના - 2022 હેલ્પલાઈન નંબર :
આ યોજનાનો લાભ 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હોય તો મળવાપાત્ર છે. જો તમે કોઈની જમીનની વાવણી કરતા હોય અથવા ખેતમજૂરી કરતા હોય તો PMKSY નો લાભ મળશે નહીં. ભારત સરકાર દ્વારા સન્માન નિધિ પેટે રૂ.2000 નાખવામાં આવે છે જો તમને આ સહાયની રકમ જમા ન થઈ હોય તો કોઈપણ પ્રકારની સહાયતા માટે ખેડૂત મિત્રો... નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો.
  • PM કિસાન નિધિ યોજના લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
  • PM કિસાન નિધિ યોજના ટોલ ફ્રી નંબર:  1800-115-5266


કિસાન યોજનાની મહત્વની લીંક (Important links of PM Kisan Yojana)

કિશાન હેલ્પલાઇન નબર (Kisan Helpline Number) :
આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશટેલિફોન નંબર -1551, 1800-180-1551
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડટેલિફોન નંબર - 1551, 1800-180-1551
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરાટેલિફોન નંબર - 1551, 1800-180-1551


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

PM કિસાન યોજના 2022: જાણો... PM કિસાન સન્માન નિધિ યોજના 2022 નવી યાદી, આગામી હપ્તો ક્યારે આવશે?

PM કિસાન યોજના 2022: જાણો... PM કિસાન સન્માન નિધિ યોજના 2022 નવી યાદી, આગામી હપ્તો ક્યારે આવશે?
PM કિસાન યોજના 2022: જાણો


પીએમ કિસાન યોજના: પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2022 :
આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવાના ઉદ્દેશ્ય સાથે "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના" શરૂ કરી છે. આ યોજના 01 ફેબ્રુઆરી 2019 થી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર રૂ.ની સહાય પૂરી પાડે છે. 6000/- ખેડૂતોને વર્ષમાં એકવાર. ₹ 6000 ની આ નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM કિસાન નિધિ સન્માન યોજના (PM કિસાન નિધિ સન્માન યોજના શું છે) શું છે?
જેમ તમે જાણો છો, પીએમ કિસાન નિધિ સન્માન યોજના હેઠળસહાયનું ધોરણ , કેન્દ્ર સરકાર PM કિસાન નિધિ સન્માન યોજનામાં લાભાર્થીને ખેડૂત કુટુંબને દર વર્ષે રૂ.6000/- ચૂકવવામાં આવે છે. આ સહાય DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે. જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર(4) માસએ ચૂકવવામાં આવે છે. પીએમ કિસાન યોજના અન્‍વયે પ્રથમ હપ્તા તરીકે તારીખ: 01/12/2018 થી 31/03/2019 ના રોજ  રૂ.ચૂકવાયેલ. આ પૈસા દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યા છે પરંતુ જો સરકારે ખાતામાં પૈસા નાખ્યા હોય અને કોઈ કારણોસર ખેડૂતોના ખાતામાં પૈસા ન આવી શકતા હોય તો ટોલ ફ્રી પર ફોન કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકશો.

PM કિસાન યોજનાના લાભો અને પાત્રતાની શરતો :
       ભારત સરકાર દ્વારા Pradhan mantri kisan samman nidhi scheme 2021 માટે પાત્રતા નક્કી કરેલ છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ.

પીએમ કિસાનએ સેન્‍ટ્રલ યોજના છે. આ યોજનામાં ભંડોળ 100% ભારત સરકારનું છે.
PM Kisan Yojana અંતર્ગત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આપવામાં આવે છે.
જે ખેડૂત પરિવારોને 2 હેકટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.

PM કિસાન યોજના અંતર્ગત ખેડૂત કુટુંબ કોને ગણવું :
ભારત સરકાર દ્વારા કુંટુંબની નક્કી કરેલ છે. જેમાં પતિ, પત્ની અને સગીર બાળકો (18 વર્ષથી ઓછી વયના) કે જેઓ કોઈપણ વ્યક્તિગત કે સંયુકત રીતે ખેડાણ લાયક જમીન ધરાવતા હોય. જે સામૂહિક રીતે, સંબંધિત રાજ્ય કે સંઘપ્રદેશના જમીન રેકર્ડ અનુસાર 2 હેક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતું હોય તે ખેડૂત કુટુંબ ગણી શકાય.

એવા તમામ ખેડૂતો કે જેમની પાસે 02 હેક્ટરથી ઓછી ખેતીલાયક જમીન છે તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરી શકે છે. આ લેખમાં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટેની અરજી પ્રક્રિયા, લાભો, પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો, સૂચિ કેવી રીતે ડાઉનલોડ કરવી? વગેરે આ લેખમાં તમારી સાથે શેર કરવામાં આવશે.
PM કિસાન સન્માન નિધિ યોજના 2022
યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના
ભાષા ગુજરાતી અને English
બજેટ 2019-2020
ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થી દેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ 6000 વાર્ષિક
અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/


PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થતો નથી:
PM કિસાન ખેડૂત યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના માટે ભારત સરકારએ પાત્રતા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ ક્યા-ક્યા નાગરિકોને મળશે નહીં તેની વિગતો આ મુજબ છે.

  • વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને આ લાભ મળશે નહીં.
  • હાલમાં કે ભૂતકાળમાં મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • કેન્‍દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેની ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને PMKSY નો લાભ મળશે નહીં. (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના)
  • તમામ વય નિવૃત પેન્‍શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ.10,000/- કે તેથી વધુ પેન્‍શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના) એમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં.
  • છેલ્લા આકારણી વર્ષમાં ઈન્‍કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, એન્‍જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્‍ટન્‍ટ અને આર્કીટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય તેવા વ્યવસાય ધરાવતા હોય એમને મળશે નહીં.


PM કિસાન સન્માન નિધિ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન:
નવા ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો લાભ લેવા માટે Online ફોર્મ ભરવાનું રહેશે. New Farmer Registration – PM Kisan માટે ગ્રામ પંચાયત માટે VCE પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકાશે. ગ્રામ પંચાયત ખાતેથી VCE નવા ખેડૂતોને આ યોજનાનું https://www.digitalgujarat.gov.in/ મારફતે ઓનલાઈન અરજી કરશે.


PM કિસાન સન્માન નિધિ યોજના માટે  જરૂરી ડોક્યુમેન્‍ટ :
ભારત સરકારની PM કિસાન સન્માન નિધિ યોજના માટે  જરૂરી ડોક્યુમેન્‍ટ આ મુજબ રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજો નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
  • 8-અ નો ઉતારો
  • 7/12  નો ઉતારો
  • આધારકાર્ડ
  • જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્‍ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્‍સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્‍સલ ચેક

PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીની સ્થિતિ :
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થી ખેડૂત પોતાની જાતે Application Status જાણી શકે છે. પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે નીચે મુજબના પ્રક્રિયા કરવાની રહેશે.


PM કિસાન સન્માન નિધિ યોજના કિસાન સ્ટેટસ ચેક 2022 :
        પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે લાભાર્થીઓને દર વર્ષે 6000 ચૂકવવા આવે છે. ભારત સરકાર દ્વારા 4 માસે 2000 હપ્તા પેટે નાખવામાં આવે છે. આ હપ્તાની રકમ DBT દ્વારા ખાતામાં જમા થઈ કે નહીં તે જોવા માટે કચેરી કે બેંક સુધી જવાની જરૂર નથી. કારણ કે આ સુવિધા PM-KISAN Official Website પરથી જાણી શકાય. પોતાની સહાયની રકમ પોતાના મોબાઈલ,કોમ્પ્યુટર કે લેપટોપના માધ્યમથી જાતે જોઈ શકાય છે. જે પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.
  • સૌથી પહેલાં ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ખોલાવી.
  • વેબસાઈટ ખોલ્યા બાદ Beneficiary Status પર ક્લિક કરવું.
  • ત્યારબાદ નવું પેજ (સ્ક્રીન) ખુલશે.
  • જેમાં સહાયની રકમ આપ આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
  • ઉપર ત્રણમાંથી એકની વિગત નાખવામાં આવશે તો PM કિસાન સન્માન નિધિ યોજના ની સહાય ચેક કરી શકાય.


PM કિસાન સન્માન નિધિ યોજના - 2022 અરજી ફોર્મ PDF :
આ યોજનાનો લાભ લેવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા નિયત નમૂનમાં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. જેમાં એકરારનામુ પણ આપેલું છે. જેના પર લાભાર્થી દ્વારા સહી કરવાની રહેશે અને આ અરજી ફોર્મ સંબંધિત વિસ્તારની ગ્રામ પંચાયત અને તલાટી પાસે જમા કરવાનું રહેશે.



PM કિસાન નિધિ યોજના - 2022 હેલ્પલાઈન નંબર :
આ યોજનાનો લાભ 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હોય તો મળવાપાત્ર છે. જો તમે કોઈની જમીનની વાવણી કરતા હોય અથવા ખેતમજૂરી કરતા હોય તો PMKSY નો લાભ મળશે નહીં. ભારત સરકાર દ્વારા સન્માન નિધિ પેટે રૂ.2000 નાખવામાં આવે છે જો તમને આ સહાયની રકમ જમા ન થઈ હોય તો કોઈપણ પ્રકારની સહાયતા માટે ખેડૂત મિત્રો... નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો.
  • PM કિસાન નિધિ યોજના લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
  • PM કિસાન નિધિ યોજના ટોલ ફ્રી નંબર: 1800-115-5266


Kisan Helpline Number (કિશાન હેલ્પલાઇન નબર) :
Assam, Arunachal Pradesh, Bihar, Chhattisgarh, Jharkhand, Goa, Gujarat, Haryana, Himachal Pradesh Telephone No. 1551 or 1800-180-1551
Madhya Pradesh, Maharashtra, Odisha, Karnataka, Kerala, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Telephone No. 1551 or 1800-180-1551
Uttar Pradesh, Uttarakhand, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana, West Bengal, Tripura Telephone No. 1551 or 1800-180-1551



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

સોમવાર, 14 માર્ચ, 2022

ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ: આગામી 4 થી 5 દિવસ સુધી ગરમ પવન(હવા) લાગશે કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની સંભાવના.

☀️ ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ: આગામી 4 થી દિવસ સુધી ગરમ પવન(હવા) લાગશે  કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની સંભાવના.

ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ

 

☀️ ગુજરાતમાં હીટ વેવની અસર : રાજ્યના કેટલાક શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14 થી 17 માર્ચ દરમિયાન ગરમીનો ભારે અનુભવ થશે.

 

☀️ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં ઉનાળો શરૂ થવાની શરૂઆત જ છે ને સૂરજ દાદાના કિરણોનો પ્રકોપ ધીરે ધીરે લોકોને દઝાડી રહ્યો છે. હોળી પહેલાં જ હવે ગરમ પવન લોકોને પરેશાન કરવાં લાગ્યો છે. ઉનાળો રાજ્યમાં આકરો બનતો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી અમદાવાદ, સુરત, ડીસા અને સૌરાષ્ટ્રનાં કચ્છ ભુજમાં (Saurashtra Kutch) હીટ વેવની (Heat Wave) આગાહી કરવામાં આવી છે. આજે 14 મી માર્ચથી 17 માર્ચ સુધી ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં હીટવેવનો અનુભવ થશે. 

(પ્રતિકાત્મક તસવીર)

 

☀️ ઉનાળાની ઋતુમાં આ ફળોનું સેવન છે લાભદાયી :

◾ કાકડી 🥒 :   કાકડી ઠંડક આપે છે. તેમાં ઠંડકનું પ્રમાણ વધારે, ઓછી કેલરી, હાઈ ફાઇબર, એન્ટિ ઑક્સીડેન્ટ, વધારે પ્રમાણમાં પાણી હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પોટેશિયમનો સારો સ્રોત, વિટામિન C, A અને K વધુ પ્રમાણમાં ધરાવે છે.

◾ દ્રાક્ષ 🍇 :   એવું કહેવામાં આવ્યું છે કે દ્રાક્ષ (ખાસ કરીને લીલી દ્રાક્ષ) માઇગ્રેન અને ઇન્ડાઇજેશનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. અને તે વિઝન, અસ્થમા અને સ્કિન માટે સારી છે, અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. એ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. તે વિટામીન C અને K નો સારો સ્રોત છે.

◾ નારંગી(ઓરેંજ) 🍊 :  ટેન્જી અને મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે, ચામડી અને બ્લડપ્રેશર માટે સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે, વિટામીન A પ્રીકર્સર્સ કે જે વિટામિન Aમાં સુધારો કરવા માટે છે, કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે કે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરવામાં અને પેક્ટીન સુધારવા માટે મદદ કરે છે.

◾ તરબૂચ 🍉 :  બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ એવું તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, નર્વ્ઝ અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશન તંત્રને લગતી બીમારીઓને અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ થતાં અટકાવે છે. તે પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. સ્પોર્ટસ પ્લેયર અને માર્કેટીંગની વ્યકિતઓ કે જેઓ ગરમીમાં વધારે રહે છે, તેમને માટે માટે શ્રેષ્ઠ છે.

◾ કેરી 🥭 :  ફળોનો રાજા અને વર્ષનું સૌથી વધુ રાહ જોવાયેલું ફળ એટલે કેરી. તે નાના-મોટા સૌને ગમે છે. તેના આલ્ફાન્સો, કાચી કેરી, પોપટ કેરી વગેરે જેવા વિવિધ પ્રકાર છે. તે એન્ટીઑકિસડન્ટનો સારો સ્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલ હાઇ લેવલનાં ફાઇબર, પેક્ટીન અને વિટામિન C વડે સીરમ કોલેસ્ટ્રોલના, ખાસ કરીને લૉ ડેન્સિટી લિપોપ્રોટીન (ખરાબ કોલેસ્ટ્રોલ) લેવલને ઘટાડવામાં અને શરીરને આલ્કલાઇન કરવા માટે મદદ કરે છે.


ઉનાળાની શરૂઆતમાંજ હિટવેવ
(પ્રતિકાત્મક તસવીર)


 

☀️ રાજ્યના કેટલાક શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14 થી 17 માર્ચ દરમિયાન અમદાવાદ, સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બાદમાં ગરમી એકથી બે ડિગ્રી સુધી ઘટશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

 

☀️ ગીર સોમનાથના વેરાવળના આગામી સાત દિવસના મહત્તમ તાપમાનની વાત કરીએ તો 14 માર્ચે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ત્યારબાદ 15  મીએ 39 ડિગ્રી જવાની શક્યતા છે. ત્યારબાદ 16-18 માર્ચ મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહી શકે છે અને 19મી માર્ચે ઘટીને 37 ડિગ્રીએ પહોંચશે. 

(પ્રતિકાત્મક તસવીર)

 

☀️ અમદાવાદમાં આજે તાપમાનનો પારો 38એ પહોંચ્યો છે જ્યારે કાલે 14મીએ 39એ પહોંચશે. ત્યારબાદ સતત 40 ડિગ્રી તાપમાન રહેશે જેમાં 19મી માર્ચ બાદ થોડો ઘટાડો થઈને 39 ડિગ્રી થશે. જ્યારે સુરતમાં 13-14ના રોજ 39 ડિગ્રી અને 15-17 તારીખ સુધીમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા છે. બરોડામાં આગામી 19મી તારીખ સુધી 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

📣 News source:  Gujarati News18

 

☀️ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ઉનાળો દજાડવા લાગ્યો છે. રાજકોટમાં 13મી માર્ચે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો છે જ્યારે આગામી 3 દિવસ 16મી માર્ચ સુધીમાં આ પારો 40 ડિગ્રી રહેવાની વકી છે જ્યારે કે ત્યારબાદ આ પારો 38 ડિગ્રીએ પહોંચવાની શકયતા છે.

 

☀️ હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમદાવાદમાં રવિવારથી જ ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 38.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8:30 કલાકે 41%થી ઘટીને સાંજે 5:30 કલાકે 20%એ પહોંચતા વાતાવરણમાં ગરમીની સાથે બફારો પણ વધ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં બે દિવસમાં અમદાવાદમાં ગરમી અચાનક 2 ડિગ્રી વધી જતા લોકો આકુળવ્યાકુળ થઈ ગયા છે.

 

☀️ રાજ્યનાં ડિસામાં 14 તારીખ 39 ડિગ્રી, 15 તારીખથી 17 તારીખ સુધી 40 ડિગ્રી,, તો 18-19 માર્ચના રોજ 39-38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. કચ્છના ભૂજમાં પણ હીટવેવની અસર જોવા મળશે અને આજે અને કાલે તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે. ત્યારબાદ 19મી માર્ચ સુધી મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે.

 

 

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.