THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ  Russia Vs Ukraine:  રશિયા અને યુ...
રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ 
રશિયા અને યુક્રેન:બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ



Russia Vs Ukraine:  રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના આ 29 દિવસ બંને વચ્ચેના સંઘર્ષ પાછળના મુખ્ય કારણો.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કયા કારણો જવાબદાર છે?
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધી શું થયું છે?

રશિયા અને યુક્રેન સંઘર્ષ: રશિયા અને યુક્રેન સંઘર્ષ વચ્ચેના આ અઘોષિત યુદ્ધેથી  વિશ્વની રાજનીતિ, અર્થતંત્ર, વૈશ્વિક બજાર પ્રણાલીને ખુબ મોટું નુકશાન થયું છે. રશિયા-યુક્રેન કટોકટી પર બંને દેશો અહીં  આ સ્થિતિએ કેવી રીતે આવ્યા, તેઓ શું ઈચ્છે છે અને બીજું ઘણું બધું અહીં  ચર્ચા કરવાની છે. આને લઈને વિશ્વના નેતાઓ દ્વારા કટોકટીનો ઉકેલ લાવવાના રાજદ્વારી પ્રયાસો કર્યા પણ હજુ સુધી ઉકેલ આવેલ નથી.

રશિયા અને યૂક્રેન વચ્ચેનું આ યુદ્ધ ભયંકરસ્થિતિમાં પહોંચી ચુક્યું છે. રશિયાએ યૂક્રેનના અનેક વિસ્તારો પર બોમ્બ ગોળાનો વરસાદ કર્યો છે. ખુબજ મોટી નુકશાની યૂક્રેનમાં થઇ છે. છતાં પણ યૂક્રેન હાર માનવા તૈયાર નથી. 
રશિયાએ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં યુક્રેન પર હુમલો કર્યો હતો અને હજુ પણ યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી રશિયન સેનાએ યુક્રેનમાં ઘણી તબાહી મચાવી છે. રશિયન સેનાના આ હુમલામાં માત્ર યુક્રેનની સેના (Attacks In Ukraine) જ નહીં પરંતુ ત્યાંના લોકો પણ તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. યુક્રેનમાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને લોકો હવે ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે તરસી રહ્યા છે. યુક્રેન તરફથી વારંવાર એવા દાવા કરવામાં આવે છે કે તેણે રશિયન સેનાના ઘણા સૈનિકોને મારી નાખ્યા છે.

આવી સ્થિતિમાં, સવાલ એ થાય કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કયા દેશને કેટલુ નુકસાન થયું છે અને કેટલા લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે ? તો જાણો યુક્રેને તેના સૈનિકો અને નાગરિકોના મોતથી શું ગુમાવ્યું છે, જ્યારે રશિયન સેનાને કેટલું નુકસાન થયું છે

આ યુદ્ધ થવા પાછળના કયા કારણો જવાબદાર છે..જાણીએ વિસ્તારથી.  
કહેવાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધ પાછળના આ છે ખાસ કારણો.

દુનિયા આજે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ વિનાશકારી  જંગને અધ્ધર શ્વાસે જોઈ રહી છે.

(1). રશિયાના રાષ્ટ્રપતિ પુતિને લશ્કરી આક્રમણનો આદેશ આપ્યા બાદ રશિયન સેનાએ યુક્રેનમાં ઘૂસીને આક્રમણ કરી રહી છે. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ નવી વાત નથી.1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી. કહેવાય છે કે... એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી.
(2). યુક્રેન અમેરિકાના આગેવાની હેઠળના નાટો સંગઠનનુ સભ્ય બનવા માંગે છે પણ રશિયા ઈચ્છતુ નથી કે, યુક્રેન આ સંગઠનમાં જોડાય.
(3). રશિયા એ અમેરિકા અને નાટો સંગઠન પાસે ગેરંટી માંગી હતી કે, યુક્રેનને નાટોનુ સભ્ય નહીં બનાવાય પણ અમે્રિકા અને નાટો દેશો આવી ગેરંટી આપવા માટે તૈયાર નહોતા.રશિયાને ડર હતો કે, જો યુક્રેન નાટો દેશોનુ સભ્ય બન્યુ તો યુરોપના અને અમેરિકાના સૈનિકોની તૈનાતી રશિયાની બોર્ડર સુધી થશે.
(4). 2014માં ક્રિમિયા પર રશિયાએ નિયંત્રણ સ્થાપિત કરી લીધા બાદ યુક્રેનના ડોનત્સ્ક અને લુહાન્સ્કમાં રશિયન તરફી ભાગલાવાદી જુથોએ આ બંને શહેરોને સ્વાયત્ત ઘોષિત કરી દીધા હતા.
(5). રશિયાએ આ બંને શહેરોને અલગ દેશની માન્યતા આપ્યા બાદ વૈશ્વિક સ્તરે તનાવ વધી ગયો હતો.યુક્રેનના સંકટને અમેરિકા અને રશિયા વચ્ચે દુનિયા પર વર્ચસ્વ સ્થાપવાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહ્યુ છે.
(6). 2019માં યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ વોલોદીમીર જેલેન્સ્કીએ નાટોમાં જોડાવા માટેના પ્રયાસો વધારે ઝડપી બનાવતા રશિયા ચોંકી ઉઠ્યુ  હતુ અને તેણે બોર્ડર પર રશિયન સેનાની તૈનાતી વધારવા માંડી હતી. આખરે આ તનાવ હવે યુદ્ધમાં પલટાઈ ચુકયો છે.

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના આજે ૨૯માં  દિવસે જાણો રશિયા-યુક્રેનને અત્યાર સુધીમાં કેટ કેટલુ નુકસાન થયું ?
રશિયા - યુક્રેન યુદ્ધ : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૯ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં યુક્રેન અને રશિયા બંનેની સેનાને ઘણું નુકસાન થયું છે અને યુક્રેનમાં ઈમારતો વગેરેને ભારે નુકસાન થયું છે.

રશિયાએ કેટલું સહન કર્યું ?
યુક્રેન દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ અત્યાર સુધીમાં 15,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય યુક્રેન દ્વારા રશિયાની 252 આર્ટિલરી સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત યુક્રેને 509 રશિયન ટેન્કને નષ્ટ કરી દીધી છે અને ઘણી જગ્યાએ ટેન્કને દફનાવવામાં આવી છે. યુક્રેને કરેલા દાવા મુજબ, રશિયાના 123 હેલિકોપ્ટર, 99 ફાઈટર જેટ, 80 MLRS, 45 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમને નષ્ટ કરી છે. યુક્રેન રશિયન સેનાનું મનોબળ ઘટાડવા માટે સતત આવા આંકડાઓ જાહેર કરી રહ્યું છે અને શરૂઆતથી જ તે યુક્રેનથી રશિયન સેનાને નુકસાન પહોચાડવાાં આવ્યુ હોવાના અહેવાલો જાહેર કરી રહ્યું છે.

રશિયાનું માનવું છે કે યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 9861 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 27 દિવસના આ યુદ્ધમાં 16153 સૈનિકો ઘાયલ થયા છે. જો કે, આના થોડા દિવસો પહેલા, રશિયા તેના 500 સૈનિકોના મૃત્યુની વાત કરી રહ્યું હતું, પરંતુ હવે આ સંખ્યા લગભગ 10 હજાર કહેવામાં આવી રહી છે.


યુક્રેનમાં કેટલું નુકસાન થયું ?
તમને જણાવી દઈએ કે યુદ્ધમાં થયેલા નુકસાનને લઈને ઘણા પ્રકારની વિગતો સામે આવી રહી છે અને દરેક દ્વારા અલગ-અલગ આંકડાઓ અને વિગત રજૂ કરાઈ રહી છે. અત્યારે, યુનાઈટેડ નેશન્સ, મીડિયા રિપોર્ટ્સ, યુક્રેનિયન અધિકારીઓ, અમેરિકા તરફથી ઘણા પ્રકારના ડેટા સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયન હુમલાને કારણે યુક્રેનમાં ઓછામાં ઓછી 1000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને લગભગ 3000 લોકો માર્યા ગયા છે. સૌથી વધુ અસર યુક્રેનના શહેર મેરિયુપોલને થઈ છે, જેના પર રશિયા દ્વારા સતત બોમ્બમારો થઈ રહ્યો છે. આ શહેર અંગે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે અત્યાર સુધીમાં લગભગ 1000 લોકોના મોત થયા છે.

મેરીયુપોલમાં રશિયન સેના દ્વારા હોસ્પિટલો, શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી છે અને ત્રણ લાખથી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો હવે વીજળી, પાણી અને ખોરાક માટે વલખા મારી રહ્યાં છે અને રશિયા દ્વારા હુમલો કરાયેલા ડઝન શહેરોમાંથી, મેરીયુપોલમાં સૌથી વધુ હુમલા થયા છે. હકીકતમાં, કિવ પર રશિયાની નિષ્ફળતા પછી, આ શહેર પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને હજારો નાગરિકોને બંધક જેવા બનાવવામાં આવ્યા છે. મેરીયુપોલથી લોકોને બળજબરીથી રશિયા મોકલવામાં આવી રહ્યા છે.



Reference source:
વધુ જાણકારી માટે : 


યુક્રેનના સૈનિકો વિશે અલગ-અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે 5000 થી વધુ યુક્રેનના સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં 117 નિર્દોષ લોકોના મોત થયા છે અને 155 બાળકો ઘાયલ થયા છે. યુક્રેન પરના યુદ્ધની એવી અસર છે કે રશિયન આક્રમણ બાદથી 3.5 મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. અને આસપાસના દેશમાં આશ્રય લઈ રહ્યાં છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સના કાર્યાલયે જણાવ્યા અનુસાર યુદ્ધમાં ઓછામાં ઓછા 902 નાગરિકો માર્યા ગયા છે અને 1459 ઘાયલ થયા છે.

જોકે, હાઈ કમિશનરની ઓફિસનું કહેવું છે કે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે. મેરીયુપોલના અધિકારીઓનો દાવો છે કે એકલા આ (મરિયુપોલ) શહેરમાં 2400 થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે બંને દેશો પોતાની રીતે નાગરિકો અને સૈનિકોની હત્યાને લઈને અલગ-અલગ દાવા કરી રહ્યા છે.



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top