THE KNOWLEDGE ZONE THE KNOWLEDGE ZONE Author
Title: સોલાર એનર્જી: સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના અપનાવો અને વીજબિલની સાથોસાથ પર્યાવરણની પણ બચત કરો.
Author: THE KNOWLEDGE ZONE
Rating 5 of 5 Des:
Join WhatsApp Group Join Telegram Channel ☀️    સોલાર એનર્જી:  સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના અપનાવો અને વીજબિલની સાથોસાથ પર્યાવરણની પણ બચત કરો...
☀️  સોલાર એનર્જી: સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના અપનાવો અને વીજબિલની સાથોસાથ પર્યાવરણની પણ બચત કરો.
ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલી સોલાર રૂફટોપ સબસિડીની કિંમત અને તેના ફાયદાઓ ,પૈસા કમાવા માટે ની ઉત્તમ તક તો આજે જ નોંધણી કરવો.

☀️  સોલાર એનર્જી જનરેટિંગ સિસ્ટમ એના વિશે જાણીએ.
સૂર્યના કિરણોમાંથી સીધા જ ઘનિષ્ટ જોડાણ વડે મેળવવામાં આવતી ગરમી, પાવર (સોલાર એનર્જી)ને એનર્જી અભ્યાન સિસ્ટમ કહેવામાં આવે છે. આજે દુનિયાના ઘણા દેશોમાં સૂર્ય પ્રકાશ ખૂબ જ માત્રામાં છે. પરંતુ તેનો પૂરેપૂરો ઉપયોગ થયો નથી. આજે યુરોપના દેશો પાસે સોલાર ટેકનોલોજી છે. પરંતુ ત્યાં પૂરતો સૂર્ય પ્રકાશ નથી.

ગ્રીન એનર્જી તરફ અગ્રેસર ભારત એમાં ગુજરાત થોડું પાછળ હોય. 
ગ્રીન એનર્જી એટલે શું ? 

વાહનો, કારખાનાના મશીનો અને રસાયણ ઉદ્યોગોમાં કોઈ ને કોઈ શક્તિનો ઉપયોગ થાય છે. વાહનોમાં પેટ્રોલ અને શક્તિ પેદા થાય. વીજળી પેદા કરવામાં કોલસો કે અન્ય ઇંધણ બાળવા પડે. શક્તિ માટે ગરમી જોઈએ અને કોઈ વસ્તુ સળગે ત્યારે જ ગરમી મળે. વસ્તુ બળે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુ પેદા થાય. આ વાયુઓ ઓઝોન સ્તરને નુકસાન કરે. પૃથ્વી પરનું તાપમાન વધારે. આવા વાયુઓને પ્રદૂષણ કહે છે. વિજ્ઞાાનીઓ શક્તિ પેદા કરતી વખતે પ્રદૂષણ ન થાય તેવા બળતણની શોધ કરે છે. સોલાર પાવર, પવનચક્કી, દરિયાના મોજા, ગતિશક્તિ અને કેટલાક વનસ્પતિમાંથી બાયોફ્યુઅલ મેળવવાના પ્રયત્નો થાય છે. આ બધા સ્ત્રોતોને ગ્રીન એનર્જી કહે છે અને તે પ્રદૂષણ કરતી નથી.

સતત વિકાસની હરણફાળ ભરી રહેલ ગુજરાતમાં સમય સાથે નવા બદલાવ જરૂરી છે. ઉદ્યોગો હવે નવા ચેલેન્જિસ ફેસ કરી રહ્યા છે. ત્યારે તેના નીતિ નિયમોમાં પણ બદલાવ આવે તે જરૂરી છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા નવી સોલાર પોલિસી 2021 (solar policy) ની જાહેરાત કરાઈ છે. આ પોલિસી પાંચ વર્ષની રહેશે. જેનાથી મોટા તેમજ નાના અને ઉદ્યોગકારોને લાભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્યોગકારો માટે આ મોટી જાહેરાત કરી હતી.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના 2018-19 શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે.

Solar Rooftop Gujarat Scheme

☀️  સોલર રૂફ ટોપ યોજના શું છે?
આ યોજનામાં સોલર રૂફ ટોપ દ્વારા ઘરની છત પર સોલરની પ્લેટ અને સેટ લગાડવામાં આવે છે. જેની મદદથી સૂર્ય ઉર્જા દ્વારા વિજળી ઉત્પન થાય છે અને ઘર માટે તમે વીજળી વાપરી શકો છો.

આ યોજનાને “સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના”, “સૂર્ય ગુજરાત યોજના” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમે સોલર સેટની ખરીદી કરો તો સરકાર દ્વારા તેમાં સબસિડી આપવામાં આવે છે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના લાભ કોણ લઈ શકે છે?
ગુજરાતનાં તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

☀️ સ્ટેટનોડેલ એજન્સી GUVNL(ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ)  દ્વારા 'સુર્ય–ગુજરાત' યોજનાની માર્ગદર્શિકા... 👇

☀️ સોલર રૂફ ટોપ યોજના 2022 માં કેટલી સબસિડી મળી શકે છે?
૧.  3 (ત્રણ) કી.વો. સુધી – ૪૦% સબસિડી
૨.  3 (ત્રણ) કી.વો. થી વધુ અને ૧૦ (દસ) કી.વો. સુધી – પ્રથમ 3 (ત્રણ) કી.વો. સુધી ૪૦% અને 3 (ત્રણ) કી.વો. પછીની બાકીની ક્ષમતા માટે ૨૦% સબસિડી
૩.  (દસ) કી.વો. થી વધુ માટે -  પ્રથમ 3 (ત્રણ) કી.વો. સુધી ૪૦% પછીની ૭ (સાત) કી.વો. ક્ષમતા માટે ૨૦%. ૧૦ (દસ) કી.વો. વોટ પછીની ક્ષમતા પર સબસિડી મળશે નહીં.
૪.  સોસાયટી માટે – ૫૦૦ કી.વો. સુધી - ૨૦% સબસિડી


☀️  સૂર્ય ગુજરાત યોજનાના વિડિયો દ્વારા પણ તમે સારી માહિતિ મેળવી શકો છો.



☀️  SURYA Gujarat Yojna, સૂર્ય ગુજરાત યોજનાના લાભ :
૧. ૨.૫ વર્ષનું લાઇટ બિલ ભરીદો અને ૨૦ થી ૨૫ સુધી લાઇટ બિલ ફ્રી, કેવી રીતે?
૨. સોલર પેનલની કુલ કિમતમાથી સબસિડીની રકમ બાદ થઈને બાકીની રકમ ભરવાની થાય છે.
૩. ઘરવપરાશથી વધારે વીજળીના યુનિટ જમા થાય છે. તે જમા યુનિટ ઉત્પાદક તમારી પાસેથી પર યુનિટ રૂ. ૨.૨૫ લેખે ખરીદી લે છે.
૪. તમારા જમા થયેલ યુનિટ આવનાર બિલમાં જોવામળે છે. જમા થયેલ રકમ તમે નાણાકીય વર્ષ પૂરૂ થતાં તમે લઈ શકો છો.
૫. જે સોલર પ્લેટ ફિટ કરવામાં આવે છે તેની આયુ ૨૦ થી ૨૫ વર્ષની હોય છે. સમયે સમયે માત્ર તમારે આ પ્લેટને પાણીથી સાફ કરતાં રહેવું પડે છે.
૬. નિયમાનુસાર મળવાપાત્ર થતી સામગ્રીમાં તમે કોઈ ફેરફાર કરો છો તો એજન્સી સાથે તે સામગ્રીનો ભાવ નક્કી કરીને વધારાની રકમ તમારે એજન્સીને ચૂકવવી પડશે.

☀️ ગુજરાત સરકારની સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના હેઠળ હવે ઘર માટે સોલાર રૂફટોપ મેળવવાનું બન્યું છે વધુ સરળ અને વીજબિલની સાથોસાથ પર્યાવરણની બચત કરો.
☀️ હજી શું વિચાર કરો છો? હવે જ તો ખરો સમય છે સોલાર રૂફટોપ અપનાવવાનો.
☀️ દરેક ગુજરાતી પરિવારો પોતાના ઘરે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવે અને પર્યાવરણને બચાવવામાં ભાગીદાર થાય તે માટે સરકાર દ્વારા આ યોજના માટે વિશિષ્ટ સબસીડીની જોગવાઈ કરવામાં આવેલી છે.
☀️ ગૃપ હાઉસીંગ સોસાયટી રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસિએશનની મઝિયારી (common)સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા ૨૦%ની સબસીડી આપવામાં આવે છે.
☀️ સોલાર રૂફટોપ સ્થપાયા બાદ જે તે એજન્સી પ વર્ષ સુધી સિસ્ટમનું વિના મૂલ્યે મેન્ટેનન્સ કરશે.
☀️ સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવો, વીજ બિલ માં ભારે બચત કરો. સોલાર રૂફટોપ માટે સરકાર આપે છે 40 % સુધીની સબસિડી સોંર ઉર્જા ના ઉપયોગ થી આપણા ઘર વપરાશ ના બધા જ ઇલેક્ટ્રિક ઉપકારનો ચલાવી શકાય છે,
રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40% ટકા તેમજ ત્યાર બાદના 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર 20% ટકા સબસિડી મળશે.

રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ–સોલાર એનર્જી રૂફટોપ’ યોજના.
"અમદાવાદ સોલાર - નંબર 1. સોલર છત સિસ્ટમ પ્રદાતા"
25 વર્ષ સુધીનો સિસ્ટમ પર વીમો ઉપલબ્ધ. અમારી ખાસ બનાવટ એવા સોલાર ઇનવર્ટર પર 25 વર્ષ સુધીનો વૉરંટી વિસ્તાર ઉપલબ્ધ.


☀️ Official site: GEDA (Gujarat Energy Development Agency)


☀️ સોલાર રૂફટોપ પાવર લાભાર્થીઓ:
🌠  રહેઠાણ,
🌠  સ્કૂલ/ કોલેજ
🌠  સામાજિક સંસ્થા
🌠  હોસ્પિટલ/એન.જી.ઓ. વગેરે

☀️  સોલાર રૂફટોપ અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા.
  • છેલ્લા લાઈટબીલ ની નકલ. 
  • પાસપોર્ટ સાઈઝના ત્રણ કલર ફોટા.
  • મકાન વેરાની છેલ્લી પહોંચ.
  • મકાન માલિકનું આધારકાર્ડ ફરજીયાત

☀️ વધુ માહિતી માટે કન્સલ્ટનો સંપર્ક કરી શકો છો. અહીંયા કેટલીક ખ્યાતમાન કંપનીઓના સંપર્ક નંબર તેમજ એડ્રેસ આપેલ છે. તેમનો સંપર્ક કરી શકો છો.
👇
સંપર્ક : ①
📲 : +91 95123 65652,  +91 98989 80564
📧 :  E-Mail: sales@ahmedabadsolar.com
🌐 Website: zcu.io/kOhN

સંપર્ક : ②
📲 : +91 95123 65652, +91 98989 80564
📧 :  E-Mail: sales@ahmedabadsolar.com
🏢 : Office: B-131, Sumel 8, Ajit mill Cross Road, Rakhial-Odhav Road, Rakhial, Ahmedabad - 380023, Gujarat, India

સંપર્ક : ③
સ્વામી એનર્જી અમદાવાદ, બેસ્ટ સોલાર સર્વિસ પ્રોવાઈડ કરે છે.
સ્વામી એનર્જીનો કોન્ટેક્ટ કરો, નીચે આપેલ વીગતો પર :
📲 :  Call Us : +91 81400 08066
💬 : WhatsApp : wa.me/8140008066
🌐 Website : www.swamienergy.com/



આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

Advertisement

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top